Health Minister Statement: મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ

Health Minister Statement: તા.૧૬ મી જાન્યુઆરીએ જ સમગ્ર ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

  • મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના અપાઇ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ Health Minister Statement: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને પગલે બનેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આકરૂં વલણ અપનાવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલએ આજે અમદાવાદની એમ.એન્ડ.જે. હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરીને સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી.

આ ઘટનાને પગલે મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે તા. ૧૬ મી જાન્યુઆરીના રોજ ૯ નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મંત્રીએ આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડક માં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે.

વધુંમા માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને પારખીને મંત્રી ઋષિકેશ પટેલએ મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના આપી છે. મોતીયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરુરી ચેક-લિસ્ટ માટેની ગાઇડ લાઇન બનાવવા પણ તેમણે આદેશ કર્યાં છે. હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ કરવા કડક સૂચના અપાઇ છે.

આ પણ વાંચો… VGGS 2024: ગુજરાતે VGGSમાં પ્રોજેક્ટ્સ માટે કરોડોના રોકાણો માટે MoUની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો