અંબાજી બ્રેકીંગ: હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી (hemchandracharya north gujarat university) પાટણ દ્વારા કરાયો પરિપત્ર, અંબાજી કોલેજમાં ચાલતી પરીક્ષા સ્થગિત કરાઈ
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, 19 માર્ચઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં ભારે વધારો થાય છે. 15 માર્ચથી શરૂ થયેલી થિયરી અને પ્રેકટીકલ પરીક્ષા તાત્કાલિક અસર થઈ સ્થિગત કરવામાં આવી છે. આગામી 31 માર્ચ અને 6 એપ્રિલ થી શરૂ થનારી તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
અંબાજી કોલેજ માં ચાલતી પરીક્ષા સ્થગિત કરાવી દેવામાં આવી છે. પરીક્ષાઓ માટે સરકારની સૂચના મુજબ નવી તારીખો જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટી(hemchandracharya north gujarat university)ના પરીક્ષા નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…