Jamnagar Terrorist attack: જામનગર એરપોર્ટ ઉપર બે આતંકીઓએ હુમલો કરી અને પેસેન્જરોને બંધક બનાવ્યા !
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૧ ઓક્ટોબર: Jamnagar Terrorist attack: જામનગર એરપોર્ટ ઉપર બે આતંકીઓએ હુમલો કરી અને પેસેન્જરોને બંધક બનાવ્યા ના સમાચાર મળતા જ..
જામનગરના પોલીસ વિભાગના ધાડેધાડા એરપોર્ટ ઉપર ઉતરી ચૂક્યા હતા અને પેસેન્જરોને બંધક બનાવી સો કરોડ રૂપિયાની ખંડણી માંગનાર બંને આતંકીઓને ગણતરીની કલાકોમાં ઝબ્બે કરી લેવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા આ સમગ્ર ઘટનાને મોક ડ્રિલ જાહેર કરવામાં આવતા અંતે એરપોર્ટ પર હાજર સ્થાનિક લોકો એ નિરાંતનો શ્વાસ લીધો હતો.