Kavi Aditya Jamnagari: કવિ આદિત્ય જામનગરીનાં કાવ્ય સંગ્રહોનું પૂ.મોરારિબાપુનાં હસ્તે વિમોચન
Kavi Aditya Jamnagari: કવિ આદિત્ય જામનગરીનાં પરીવારજનો તથા પ્રકાશક હેત્વી પબ્લિકેશનનાં સંચાલક અને જાણીતા કવિ ડો. નીરજ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ જુલાઈ: Kavi Aditya Jamnagari: જામનગરનાં પત્રકાર તથા કવિ આદિત્ય જામનગરીનાં હિન્દી – ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘ચરાગ-એ-દૈર’, ‘બગાવત’ તથા ‘ઇંતઝાર’ નું મહુવાનાં તલગાજરડામાં ચિત્રકૂટ ધામ ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર પૂ.મોરારી બાપુનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે (Kavi Aditya Jamnagari) કવિ આદિત્ય જામનગરીનાં પરીવારજનો તથા પ્રકાશક હેત્વી પબ્લિકેશનનાં સંચાલક અને જાણીતા કવિ ડો. નીરજ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં. કોરોનાકાળમાં મર્યાદિત સ્નેહીજનો સાથે સાદગીપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો