Love jihad: વડોદરામાં અઠવાડિયામાં જ લવજેહાદનો બીજો કિસ્સો નોંધાયો, લગ્ન બાદ યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો!

વડોદરા, 25 જૂનઃLove jihad: વડોદરામાં એક અઠવાડિયામાં જ લવજેહાદ(Love jihad)નો વધુ  એક કિસ્સો બહાર આવ્યો છે.લગ્ન પહેલા હિન્દુ ધર્મ પાળવા માટે તૈયારી દર્શાવનાર યુવક લગ્ન  પછી ફરી  ગયો હતો. યુવતીને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.ભગવાનના ફોટા અને મૂર્તિઓ પણ તેને ફેંકી દીધી હતી.લગ્નના માત્ર 10 મહિનામાં જ અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફતેગંજ  પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 23  વર્ષની મહિલા(Love jihad)એ પોલીસને જણાવ્યું છે કે,હું ઘરકામ કરૂ છું.અને મારા પતિ હાલમાં કોઇ કામધંધો કરતા નથી.વર્ષ-2018 માં મારી ઓળખાણ મોહિબ ઇમ્તીયાઝ પઠાણ (રહે.સંતોકનગર,નવાયાર્ડ,વડોદરા)સાથે પહેલી વખત થઇ હતી.અમે મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.શરૂઆતમાં અમારી વચ્ચે મોબાઇલ પર વાતચીત થતી હતી.અને  ધીરે ધીરે અમે એકબીજાની વધારે નજીક આવી ગયા હતા.

આ પણ વાંચોઃ હુરૂન રિપૉર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા વિશ્વના ટૉપ 50 દાનવીરોની યાદી જાહેરઃ ભારતના આ દિગ્ગજ ઉદ્યોગપતિનું નામ(Jamsetji Tata) પહેલા ક્રમે- વાંચો વિગત

આ સમય દરમિયાન મારા પિતાને કેન્સરની બીમારીના કારણે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.મોહિબ તેઓને ટિફિન આપવા માટે જતો હતો.અમારા સંબંધ વિશે મારા ઘરના લોકોને ખબર હતી.મોહિબ મને લગ્ન કરવાની વાત કરી એવુ જણાવતો હતો કે,તું મારી સાથે લગ્ન નહી કરે તો હું મરી જઇશ.

મહિલાએ જણાવ્યુ(Love jihad) કે, એવી પણ ધમકી આપતો હતો કે,તું મારી ના થઇ તો કોઇની થવા દઉં નહીં.આબરૂ જવાના ડરે તે સમયે મેં  ઘરમાં કોઇને આ ધમકી બાબતે વાત કરી નહતી.મોહિબ મને એવુ કહેતો હતો કે,તું ચિંતા ના કરીશ.તને કંઇ નહી થાય.લગ્ન પછી તું તારી મરજીથી તારો હિન્દુ ધર્મ પાળી શકીશ.હું તને મારા ઘરે સારી રીતે રાખીશ.

મને મોહિબની વાતો પર ભરોસો થતા મને લાગ્યુ હતું કે,હું મોહિબ સાથે જિંદગી સારી રીતે પસાર કરી શકીશ.અમે તા.20-08-2020  ના રોજ કુબેરભવન સબરજિસ્ટ્રાર ઓફિસમાં લગ્ન રજિસ્ટર્ડ કર્યા હતા.

Love jihad

લગ્ન પછી હું મોહિબ સાથે તેના ઘરે રહેવા ગઇ હતી.તા-11-09-2020   ના રોજ મોહિબે તેના ઘરે કાઝીને બોલાવી મારી મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ મુજબ નિકાહ પઢાવ્યા હતા.અને મારૂ નામ હિન્દુમાંથી બદલીને મુસ્લિમ સમાજ પ્રમાણે કરી દીધુ હતું.મોહિબ તેના મોબાઇલ ફોનમાં મને બીભત્સ વીડિયો બતાવીને મારી મરજી વિરૂદ્ધ  સૃષ્ટિ વિરૂદ્ધનું  કૃત્ય કરતો હતો.

મને બહુ પીડા થતી હતી.પરંતુ,મોહિબ મને મારશે તે ડરથી હું સહન કરતી હતી.મારા ઘરનુ રોજીંદુ કામ કર્યા પછી હું  પૂજા પાઠ કરતી હતી.ત્યારે મોહિબ મને કહેતો હતો કે,હવે તારા લગ્ન મારી સાથે થયા છે.અને મુસ્લિમ ધર્મ(Love jihad)  પ્રમાણે નિકાહ પણ કર્યો છે.તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે.આ ઘરમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટા રાખવા નહી.

અને તારી મમ્મીને પણ અહીંયા બોલાવવી નહી.મોહિબની વાત સાંભળીને મને બહુ આઘાત લાગ્યો હતો.મેં તેને કહ્યું કે,તું લગ્ન પહેલા કહેતો હતો કે,તને સારી રીતે રાખીશ.તું તારી મરજી મુજબ ધર્મ પાળી શકીશ.મારી વાત સાંભળીને મોહિબ ઉશ્કેરાઇ ગયો હતો.અને તેને ભગવાનના ફોટા ફાડી નાંખ્યા હતા. અને મૂર્તિ નીચે ફેંકી દીધી હતી.

આ પણ વાંચોઃ 46 વર્ષ પહેલા આજના દિવસે જ ઈન્દિરા ગાંધીએ દેશમાં લાગુ કરેલી કટોકટી(emergency)ને યાદ કરી, PMમોદી કહ્યું- ‘કોંગ્રેસે દેશના લોકતાંત્રિક ચરિત્રને કચડ્યું હતું!’

મારો પતિ અવારનવાર મારી સાથે અકુદરતી સેક્સ પણ કરાવતો  હતો.હું ખૂબ જ કંટાળી ગઇ હતી.જો હું તેના કહ્યા મુજબ ના કરૂ તો તે મને માર મારતો હતો.આ અંગેની જાણ મેં મારા સસરા ઇમ્તિયાઝ અને જેઠ મોહસીનને પણ કરી હતી.પરંતુ,તેઓ મારી કોઇ વાત ધ્યાન પર લેતા નહતા.

ઉલ્ટાનું મોહિબનું ઉપરાણું લઇને મને ધમકાવીને કહેતા હતા કે,અમારામાં આવુ બધુ ચાલ્યા કરે.મોહિબ કહે તે રીતે  તારે  રહેવુ પડશે.થોડા દિવસોમાં બધુ સારૂ થઇ જશે તે વિચારથી મેં મારા ઘરે કોઇને વાત કરી નહતી.ગઇકાલે પરિણીતાને સાસરીયાઓએ માર મારતા છેવટે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ farmers protest: રિહર્સલ માટે આજે ટ્રેક્ટર્સ લઈને ગાઝીપુર બોર્ડર પહોંચશે ખેડૂતો, ટિકૈતે કહ્યું- ‘સરકારનો ઇલાજ ગામડામાં જ થશે’