વડાપ્રધાન મોદી ના વર્ચ્યુલ કાર્યક્રમ પૂર્વે આયોજનની સમીક્ષા કરતા સાંસદ પૂનમબેન માડમ.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૨ નવેમ્બર: જામનગર સ્થિત આયુર્વેદ સંસ્થાન ને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માધ્યમ દ્વારા રાષ્ટ્રીય દરજ્જો આપવા જઈ રહ્યા છે ઇત્ર સંસ્થાનને રાષ્ટ્રીય દરજ્જો મળતા જામનગરની આયુર્વેદ મહાવિદ્યાલય આઈ.આઈ.એમ અને એમસ કક્ષાનું શિક્ષણ સંસ્થાન બની જશે આવતીકાલે જામનગરમાં યોજાનાર આ કાર્યક્રમ ની પૂર્વ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે જેનું નિરીક્ષણ જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ આયુર્વેદ આયુષ મંત્રાલયના કેન્દ્રીય સચિવ વૈદ ડોક્ટર રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું
જામનગરના ધનવંતરી ઓડિટોરિયમમાં યોજાનાર કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ, મંત્રી આર.સી. ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમ પૂર્વે સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી હાજર અધિકારીઓને સૂચનો રજૂ કર્યા હતા