Mukesh Dalal win: લોકસભામાં ભાજપની પહેલી જીત, સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ જાહેર- વાંચો વિગત
Mukesh Dalal win: ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા, જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા.
સુરત, 22 એપ્રિલઃ Mukesh Dalal win: આજે ગુજરાતની 26 લોકસભા બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 3 વાગ્યા સુધીમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થશે. કારણ કે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. સુરતમાં રવિવારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ભાજપ સહિત કુલ 9 ઉમેદવારો સુરત બેઠક પર મેદાનમાં હતા,.
જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા. આ પૈકી ભાજપ સિવાયના સાત ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે સોમવારે બસપાના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. કલેક્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી છે, પરંતુ થોડીવારમાં આ અંગે સત્તાવાર જાહેરાત થશે.
LIVE: સુરત લોકસભા બેઠક પર ભાજપાના બિનહરીફ વિજય સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીhttps://t.co/Mbaor5gNAJ
— MUKESH DALAL (MODI KA PARIVAR) (@mukeshdalal568) April 22, 2024
સુરત બેઠક પરથી આઠ પૈકી સાત ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્યારેલાલ ભારતીએ આજે બે વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચ્યું ન હતું. બીજી તરફ પ્યારેલાલે કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માંગ્યુ હતું. મુકેશ દલાલ બિનહરીફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલ સંપર્ક વિહોણા થયા હતા અને તેમના ઘર પર પણ તાળું હતું. આ વચ્ચે અચાનક તે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા છે. એવી ચર્ચા છે કે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે.
આ પણ વાંચો:- Hatkeshwar Temple:આજે હાટકેશ જયંતી, જાણો વડનગરમાં આવેલા હાટકેશ મંદિરના ઇતિહાસ વિશે…
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે.