Porbandar bandh: મોંઘવારી, બેરોજગારી ભ્રષ્ટાચાર વિરોધમાં આ તારીખે પોરબંદર બંધનું એલાન
Porbandar bandh: ગુજરાત પ્રદેશના કોગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી
પોરબંદર, 08 સપ્ટેમ્બરઃ Porbandar bandh: કોંગ્રેસ કાર્યકરો અલગ અલગ રીતે મોંઘવારી, બેરોજગારી ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યાં છે. તેવામાં હવે ગુજરાત પ્રદેશના કોગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.
અર્જુન મોઢવાડિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, મોંઘવારી-બેરોજગારી વિરુદ્ધ અવાજ ઉઠાવશે પોરબંદર, તા. 10ના ગુજરાત બંધના એલાનમાં જોડાશે પોરબંદર. મોંઘવારી એ માઝા મૂકી અને બેરોજગારી બેલગામ છે ત્યારે મોંઘવારી-બેરોજગારી સામે અવાજ ઉઠાવીએ, તા. 10મીએ સવારે 8થી 12 વાગ્યા સુધી વેપાર-ધંધો, કામ, સ્કુલ, કોલેજ, કચેરી બંધ રાખી અવાજ બુલંદ કરીએ.
આ પણ વાંચોઃ PM gyaanveer yojana fact check: સરકાર આપશે યુવાઓને દર મહિને 3400 રૂપિયા- જાણો શું છે હકીકત