Raghu sharma statement: આપનું ગુજરાતમાં ખાતુ નહીં ખૂલવાનો: રઘુ શર્મા
Raghu sharma statement: કેજરીવાલે કહ્યું હતું કોંગ્રેસમાં મત વેસ્ટ ન કરો, રઘુ શર્માએ દાવા સાથે લખીને આપ્યું કે આપને `ઝીરો’ સીટ મળશે
અમદાવાદ, 25 નવેમ્બર: Raghu sharma statement: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. AAPના સંયોજક અરવિંદ કેજરીવાલને કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જડબાતોડ જવાબ આપ્યો છે. રઘુ શર્માએ કેજરીવાલને ગુજરાતી ભાષામાં જ જવાબ આપ્યો છે. કેજરીવાલની પાર્ટી આપનું ગુજરાતમાં ખાતુ નહીં ખૂલવાનો રઘુ શર્માએ દાવો કર્યો છે. એટલું જ નહીં તેઓએ AAPને ભાજપની બી ટીમ પણ ગણાવી છે. કેજરીવાલ બાદ રઘુ શર્માએ પણ લેખિતમાં કહ્યું કે ગુજરાતમાં આપનું ખાતું નહીં ખુલે.
આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરી રહી છે. આરોપ લગાવ્યો પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા બ્રારે. કૉંગ્રેસને નબળી બનાવવા માટે ભાજપે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકલી હોવાનું કહી તેમણે નિશાન સાધ્યું છે.
વિધાનસભાની ચુંટણી માટે ભાજપ કોંગ્રેસ અને આપ એમ ત્રણેય વચ્ચે ખરેખરનુ પ્રચાર યુધ્ધ જામ્યુ છે. અને રોજ રોજ વાતાવરણમા પણ નવો ગરમાવો આવી રહ્યો છે. નેતાઓ શામ, દામ, દંડ, ભેદ એમ તમામ રીતરસમો અપનાવી રહ્યા છે. આ બધા વચ્ચે ઉમેદવારો પોતાના કાર્યકરોનો જોશ વધારવા, વિવાદાસ્પદ અને અસંવૈધાનિક નિવેદનો કરી રહ્યા છે.
જો કે,પ્રચારસભામાં વિરોધીઓ પર ગરજતા રહેતા નેતાઓ હવે એકલા ઓરડામાં બેસીને વીડિયો બનાવી પ્રતિસ્પર્ધીને માત આપવા મથી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલએ અગાઉ કોંગ્રેસને 5 સીટ જ આવશે અને કોંગ્રેસમાં મત વેસ્ટ ન કરશો તે અંગેનું નિવેદન આપ્યું હતું.