Sankalp Patra: જામનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત, શહેર ભાજપ કાર્યાલય થી પક્ષના આગેવાનો, હોદેદારો સાથે, સંકલ્પ પત્ર રજુ કરી
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત (Sankalp Patra) સંકલ્પ પત્ર રજુ કરી
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૫ ફેબ્રુઆરી: જામનગર મહાનગરપાલિકાની ચુંટણી અંતર્ગત, શહેર ભાજપ કાર્યાલય થી કેબીનેટમંત્રી આર.સી. ફરદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા અને પૂર્વ અધ્યક્ષ અને ચૂંટણી ઇન્ચાર્જ હસમુખ ભાઈ હિંડોચા, પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દાસણી, મીડિયાના આશીષ કંટારીયા, ભાર્ગવભાઈ ઠાકર સહિત પક્ષના આગેવાનો, હોદેદારો સાથે, (Sankalp Patra) સંકલ્પ પત્ર રજુ કરી, વણથંભી વિકાસયાત્રાનો નગરજનો માટેનો રોડમેપ જાહેર કર્યો હતો.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી સંકલ્પપત્ર (Sankalp Patra) માં જામનગરમાં દૈનિક પાણી વિતરણ, રાત્રી બજાર, રખડતાં ઢોર ની સમસ્યાનો કાયમી ઉકેલ વિગેરે મુદાઓ આવરી લેવામાં આવ્યા છે.