Ambaji vibhajan din pratigya

Silent rally with tiranga at Ambaji: અંબાજી ખાતે વિભાજન ની વિભીષિકા ને સ્મરણ કરતા ભાજપા મંડળ દ્વારા તિરંગા સાથે મૌન રેલી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 15 ઓગસ્ટ:
Silent rally with tiranga at Ambaji: આઝાદીના 75 વર્ષ પૂર્વે 14 ઓગસ્ટના જયારે ભારતદેશ ના ભાગલા થયા ત્યારે લાખો લોકોએ જીવ ગુમાવ્યાને ત્યાર બાદ વિભાજનની વિભીષિકા સર્જાઈ આ 14 ઓગસ્ટ વિભાજનની આંધી સાથે નફરત અને હિંસા મચાવી હતી જ્યાં ધર્મના નામ ઉપર દેશના ભાગલા વિભાજન ની વિભીષિકા એ કરોડો લોકો ને બરબાદ કર્યા હતા જે કેટલીક ક્ષણો પાછળ છૂટી ગયી હતી

આજે ફરી એક વાર 15 મી ઓગસ્ટ ની પૂર્વે સંધ્યા એ એટલે કે 14 ઓગસ્ટ ની સાંજે યાત્રાધામ અંબાજી ખાતે વિભાજન ની વિભીષિકા ને સ્મરણ કરતા સ્મૃતિ દિવસ માની અંબાજી ભાજપા મંડળ દ્વારા અંબાજી નગર માં તિરંગા સાથે મૌન રેલી યોજી વીતેલી ક્ષણો ને ફરી એક વાર સંભારણું બનાવી આ રેલી નું આયોજન કરાયું હતું ને સાથે ફરી મળી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ને અક્ષુણ્ણ રાખવાની સપથ સાથે દેશ ની અખંડિતતા ના સપથ લીધા હતા.

આ પણ વાંચો..Lal Singh Chadha flopped: લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા બાદ, ફિલ્મમેકર્સ પાસેથી ડિસ્ટ્રિબ્યુટર્સે કરી વળતરની માગ

Gujarati banner 01