bhupendra patel

Slaughter House Closed in Guj: 22મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ

Slaughter House Closed in Guj: અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આગામી સોમવાર તા.૨૨મી જાન્યુઆરીએ રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો અનુરોધ

ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ Slaughter House Closed in Guj: ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મહાનગરપાલિકાના કમિશનરઓ તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ અંગે પત્ર પાઠવીને તેમના સંબંધિત વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રહે તેની કાળજી લેવા સૂચનાઓ આપી છે.

આ પણ વાંચો…. State Level Training Program of Master Trainers: ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેઈનર્સનો રાજ્યકક્ષાનો તાલીમ કાર્યક્રમ યોજાયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો