Swagat Karyakram: ઓક્ટોબર મહિનાનો રાજ્ય અને જિલ્લા ‘સ્વાગત’ કાર્યક્રમ ૨૭મી ઓક્ટોબરે યોજાશે
Swagat Karyakram: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં ૨૭ ઓક્ટોબરે શુક્રવારે ગાંધીનગરમાં બપોરે ૩:૩૦ કલાકે ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે
ગાંધીનગર, 25 ઓક્ટોબરઃ Swagat Karyakram: રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય અને જિલ્લા ‘સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શુક્રવાર, તા. ૨૭ ઓક્ટોબરે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં ૨૭ ઓક્ટોબરે શુક્રવારે ગાંધીનગરમાં બપોરે ૩:૩૦ કલાકે ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે.
આ રાજ્ય ‘સ્વાગત’ માટે અરજદારો શુક્રવારે સવારે ૦૮:૦૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આપી શકશે. જિલ્લાકક્ષાએ યોજવામાં આવતો જિલ્લા ‘સ્વાગત’ પણ ૨૭ ઓક્ટોબરે સબંધિત જિલ્લા કલેક્ટરઓની અધ્યક્ષતામાં યોજાશે.