Umar gautam: ધર્મ પરિવર્તન માટે નેટવર્ક ચલાવનાર ઉમર ગૌતમ ત્રણ વર્ષમાં પાંચ વખત ગુજરાતના આ શહેરમાં આવી ગયો- વાંચો વિગત
Umar gautam: યુપીના ફતેપુરનો રહેવાસી શ્યામપ્રતાપસિંહે કોલેજ કાળ દરમિયાન એક મુસ્લિમ મિત્રના સંપર્ક બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું અને ઉમર ગૌતમ બન્યો હતો
વડોદરા, 25 ઓગષ્ટઃ Umar gautam: ધર્મ પરિવર્તન માટે નેટવર્ક ચલાવનાર ઉમર ગૌતમની યુપી પોલીસે ધરપકડ કરતાં તેને ફંડિંગ કરનાર વડોદરાના સલાઉદ્દીન શેખની પણ ધરપકડ કરવામાં આવી છે.
મૂળ યુપીના ફતેપુરનો રહેવાસી શ્યામપ્રતાપસિંહે કોલેજ કાળ દરમિયાન એક મુસ્લિમ મિત્રના સંપર્ક બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું અને ઉમર ગૌતમ બન્યો હતો.ત્યારબાદ તે દેશ-વિદેશની મુલાકાતે પણ જતો હતો.તેણે સંખ્યાબંધ લોકોના ધર્મપરિવર્તન કરાવ્યા હોવાનો દાવો યુપી પોલીસે કર્યો હતો.
દિલ્હીના જામિયા નગરમાં ઇસ્લામિક દાવા સેન્ટર ચલાવતો ઉમર ગૌતમ વર્ષ-૨૦૧૯ થી અત્યાર સુધીમાં પાંચેક વાર વડોદરાની મુલાકાતે આવ્યો હોવાની વિગતો બહાર આવી છે.જેથી પોલીસે તેણે ક્યાં ક્યાં મુલાકાતો લીધી ? ક્યાં કાર્યક્રમ કર્યા ?કોણ સાથે હતું ?જેવા મુદ્દે તપાસ હાથ ધરી છે.