anushka reaction on virat decision: વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણય પર પત્ની અનુષ્કા શર્માએ આપ્યું આ રિએક્શન!
anushka reaction on virat decision: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે અચાનક ટી-20 ટીમનું નેતૃત્વ છોડવાનું એલાન કર્યું
સ્પોર્ટ્સ ડેસ્ક, 17 સપ્ટેમ્બરઃanushka reaction on virat decision: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે અચાનક ટી-20 ટીમનું નેતૃત્વ છોડવાનું એલાન કર્યું. વિરાટ કોહલીનો આ નિર્ણય એમના ચાહકો માટે ચોંકાવનારો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને આ અંગે જાણકારી આપી. એવામાં વિરાટની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર પતિના આ નિર્ણય પર પોતાની શાંકેતિક રીતે પ્રતિક્રિયા આપી.
અનુષ્કા શર્મા બૉલીવુડની એક ફેમસ એક્ટ્રેસ છે. અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ વધુ એક્ટિવ પણ રહે છે. એવામાં પતિ વિરાટ કોહલીના ટી-20 માંથી કેપ્ટન્સી છોડવાના નિર્ણય પછી એમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિરાટનું લેટર શેર કરતા એના પર લવ ઈમોજી બનાવી એના નિર્ણયનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું.
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અનુષ્કા શર્મા અને વિરાટે 2017 માં લગ્ન કર્યા હતા. બંનેએ ખૂબ જ ગુપ્ત રીતે ઇટલીમાં સાત ફેરા લીધા હતા. આ વર્ષે 11 જાન્યુઆરીએ અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. અનુષ્કા લાંબા સમયથી એક્ટિંગથી દૂર જોવા મળી રહી છે. હવે તે નિર્માતા તરીકે કામ કરતી જોવા મળે છે. ગયા વર્ષે અનુષ્કા નિર્મિત વેબ સિરીઝ પાતાલ લોક એમેઝોનનું અને બુલબુલનું નિર્માણ અનુષ્કાએ કર્યું હતું. બંનેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો.
વિરાટ કોહલીએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે હવે તેને ટેસ્ટ ક્રિકેટ અને ભારતીય ક્રિકેટની વન ડે ટીમના કેપ્ટનને સમય આપવા માટે પોતાના માટે જગ્યાની જરૂર છે. એટલું જ નહીં, વિરાટ કોહલીએ લખ્યું કે તે ઓક્ટોબરમાં દુબઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 ટીમની કેપ્ટનશિપ છોડી દેશે.