Virat kohli

india vs south africa: સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરિઝમાંથી કોહલીએ પોતાનુ નામ પાછુ ખેંચ્યુ- વાંચો શું છે મામલો?

india vs south africa: ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો હોવાથી ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 ડિસેમ્બરઃ india vs south africa: સાઉથ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા જ ટીમ ઈન્ડિયામાં ભડકો થયો છે. ટેસ્ટ સિરિઝમાંથી રોહિત શર્મા ટ્રેનિંગ કેમ્પમાં થયેલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે ત્યારે વિરાટ કોહલીએ અંગત કારણસર વન ડે સિરિઝમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે.

ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો હોવાથી ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ છે.જોકે કોહલીએ બોર્ડને એવુ કારણ આપ્યુ છે કે, 11 જાન્યુઆરીએ મારી દીકરી વામિકાનો પહેલો બર્થ ડે છે અને તેને હું પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માંગુ છું.

કોહલી ત્રીજી ટેસ્ટ બાદ પરિવાર સાથે સમય વીતાવવા માંગે છે તેવુ કારણ રજૂ કરાયુ છે પણ ભારતીય ટીમ માટે અને આ સારા સંકેત નથી.

આ પણ વાંચોઃ Tobacco and liquor cancer cases In gujarat: તમાકુ અને દારુના વ્યસનને કારણે ગુજરાતમાં કેન્સરના કેસ વધ્યાં, આટલા થયા મોતના શિકાર- વાંચો વિગત

Whatsapp Join Banner Guj