Indian players corona positive: આ ખેલાડીઓને ક્રુણાલ પંડ્યાને મળવાનું ભારે પડ્યું, બંનેનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ- વાંચો વિગત

Indian players corona positive: આ બંને ખેલાડી શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમના ભાગ હતા. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર ક્રણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 જુલાઇઃ Indian players corona positive: ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌથમ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ બંને ખેલાડી શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમના ભાગ હતા. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર ક્રણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. ક્રુણાલ પંડ્યા 27 જૂલાઈએ કોરોના પોઝિટીવ આવ્યો હતો

ચહલ અને ગૌતમ ઉપરાંત હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીશ પાંડે અને ઈશાન કિશન પણ ક્રુણાલના સંપર્કમાં આવ્યા હતા. જો કે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ તમામ ખેલાડી શ્રીલંકા વિરુદ્ધ બીજી અને ત્રીજી ટી 20માં ટીમ ઈન્ડિયાનો ભાગ હતાં

આ પણ વાંચોઃ Reservation Medical Education:મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય- મેડિકલ શિક્ષણમાં OBCને 27%, આર્થિક પછાતને 10% અનામતની PMએ કરી જાહેરાત

નોંધનીય છે કે, ક્રુણાલ કોરોના પોઝિટીવ આવ્યા બાદ બારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી 20 મેચ મુલતવી રાખવામાં આવી હતી. આ મે 27 જૂલાઈએ રમાવાની હતી. જે બાદમાં 28 જૂલાઈએ રમાઈ હતી.

Whatsapp Join Banner Guj