સચિન તેંડુલકર(Sachin Tendulkar)ની તબિયત વધુ બગડતા હોસ્પિટલમાં દાખલ, પોતે આપી જાણકારી
સ્પોર્ટ્સ ડેસ્ક, 02 એપ્રિલઃ ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર(Sachin Tendulkar)ને થોડા દિવસ અગાઉ કોરોના થયો હતો. હવે તેની તબિયત લથડી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચિન તેંડુલકરે પોતે આ માહિતી ટ્વિટરના માધ્યમથી પોતાના ચાહકોને આપી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે સચિન તેંડુલકરને કોરોના થયા બાદ હવે ઇન્જેક્શન અને સલાઈન ચઢાવી પડે તેમ છે.
આ પરિસ્થિતિમાં તેમનો ઇલાજ ઘર કરતા હોસ્પિટલમાં વધુ સારી રીતે થઇ શકે તેમ છે. આથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ એક વાત નક્કી છે કે કોરોના કે મજાક વાત નથી અને જે વ્યક્તિ માસ્ક નથી પહેરી રહી તે લોકો ને ખતરામાં મુકી રહી છે જેને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે.
આ પણ વાંચો…