Test series ind vs nz : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો ક્યા ખેલાડી રમશે અને કોણ કરશે આરામ ?
Test series ind vs nz: વિરાટ કોહલીને ટી-20 સિરિઝની સાથે પહેલી ટેસ્ટ માટે આરામ અપાયો છે ત્યારે પહેલી ટેસ્ટ માટે રહાણેને કેપ્ટન બનાવાયો
સ્પોર્ટ્સ ડેસ્ક, 12 નવેમ્બરઃTest series ind vs nz: ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે રમાનારી બે ટેસ્ટ મેચની સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવાઈ છે. પહેલી ટેસ્ટ 25 નવેમ્બરથી કાનપુરમાં અને બીજી ટેસ્ટ મુંબઈમાં રમાવાની છે. વિરાટ કોહલીને ટી-20 સિરિઝની સાથે પહેલી ટેસ્ટ માટે આરામ અપાયો છે ત્યારે પહેલી ટેસ્ટ માટે રહાણેને કેપ્ટન બનાવાયો છે જ્યારે ચેતેશ્વર પૂજારા વાઈસ કેપ્ટન રહેશે.રોહિત શર્માને આખી સીરિઝમાં આરામ અપાયો છે.સાથે સાથે વિકેટકીપર ઋષભ પંત અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવ્યો છે.
ભારતની ટીમ આ પ્રમાણે છે
- અજિંક્ય રહાણે(કેપ્ટન)
- કે એલ રાહુલ
- મયંક અગ્રવાલ
- ચેતેશ્વર પૂજારા(વાઈસ કેપ્ટન)
- શુભમન ગિલ
- શ્રેયસ ઐયર
- ઋધ્ધિમાન સહા(વિકેટ કીપર)
- કે એસ ભરત(વિકેટ કીપર)
- રવિન્દ્ર જાડેજા
- આર અશ્વિન
- અક્ષર પટેલ
- જયંત યાદવ
- ઈશાંત શર્મા
- ઉમેશ યાદવ
- મહોમ્મદ શમી
- મહોમ્મદ સિરાજ
- પ્રસિધ્ધ ક્રિષ્ણા