PSW VISA

પીએસડબ્લ્યુ વીઝા(PSW VISA) માટે સરકારે લીધો આ નિર્ણયઃ બ્રિટનમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

નવી દિલ્હી, 18 જૂનઃPSW VISA: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહ પૈકીના એક છે.પીએસડબ્લ્યુ વીઝા(PSW VISA) મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ સુધી બ્રિટનમાં નોકરી કરી શકે છે અથવા નોકરી શોેધી શકે છે. આ વીઝા ગયા વર્ષે બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ દ્વારા શરૃ કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, વર્ક(પીએસડબ્લ્યુ) વીઝા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટેની સમય મર્યાદા વધારવાથી ભારતીય વિદ્યાર્થીઓને લાભ થશે.

અરજી જરૃરિયાતો હેઠળ કોવિડ-૧૯ લોકડાઉનને ધ્યાનમાં રાખીને પીએસડબ્લ્યુ વીઝા(PSW VISA) ઇચ્છુક વિદ્યાર્થીઓને ૨૧ જૂન સુધી અહીં રહેવાની આશા હતી. જો કે ગૃહ મંત્રાલયે ગયા સપ્તાહમાં પોતાના દિશાનિર્દેશોમાં સંશોધન કરીને આ સમયમર્યાદા વધારીને ૨૭ સપ્ટેમ્બર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (એનઆઇએસયુ), યુકે દ્વારા આ સમયમર્યાદા વધારવાની છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી.

PSW VISA

કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટમાં વૃદ્ધિ થયા પછી ૨૩ એપ્રિલે ભારત પર યાત્રા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. યોગ્યતા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટન આવવાની મંજૂરી છે પણ પરંતુ અનેક વિદ્યાર્થીઓને પોતાની યોજના સ્થગિત કરવાનાી ફરજ પડી છે કારણકે બ્રિટનમાં પ્રવેશ(PSW VISA) પછી તેમને ફરજિયાત દસ દિવસ સુધી હોટેલમાં આઇસોલેશનમાં રહેવું પડે છે જેના કારણે ૧૭૫૦ પાઉન્ડનો ખર્ચ વધી જાય છે.

એનઆઇએસયુ, યુકેના અધ્યક્ષ સનમ અરોડાના જણાવ્યા અનુસાર અમને આનંદ છે કે બ્રિટનના ગૃહ મંત્રાલયે અમારી માગ સ્વીકારી લીધી છે. બ્રિટનના આ નિર્ણયને કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ(PSW VISA)ને મદદ મળશે કે જેઓ ભારતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા કરવામાં અસમર્થ છે.

આ પણ વાંચો….

ખાદ્ય તેલ(food oil)ના ભાવ ઘટવાના એંધાણ, સરકારે લીધો મોટો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ