Ram Bhajan: ગીતકાર હરિહરન દ્વારા ભગવાન શ્રીરામ પર ગાયેલું ભક્તિ ભજન પ્રધાનમંત્રીએ શેર કર્યું
Ram Bhajan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન “સબને તુમ્હેં પુકારા શ્રી રામજી” શેર કર્યું
અમદાવાદ, 09 જાન્યુઆરીઃ Ram Bhajan: 22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. આ પહેલા ઘણા ગીતકારો ભગવાન શ્રીરામ માટે નવા ભજનોની રચના કરી રહ્યા છે. આ લિસ્ટમાં હવે પ્રખ્યાત ગીતકાર હરિહરનનું નામ પણ જોડાઈ ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિહરન દ્વારા ગાયેલું ભક્તિ ભજન “સબને તુમ્હેં પુકારા શ્રી રામજી” શેર કર્યું છે, જેનું સંગીત ઉદય મજમુદાર દ્વારા રચિત છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું, “હરિહરનજીની અદ્ભુત ધૂનથી સુશોભિત આ રામ ભજન દરેકને ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન કરી દેશે. તમે પણ આ સુંદર ભજનને માણો. #શ્રીરામભજન”