Banner Ronak joshi

Manzil: થઈ થઈને શું થઈ જવાનું છે…..

ડગલે પગલે મંઝિલ દૂર અલગ રહેવાની છે,
ખુમારી ને ખાનદાની નૂર અલગ રહેવાની છે.
કોણ કોને અને કેટલાને સમજાવશે જગતમાં,
શબ્દે શબ્દે વાત મગદૂર અલગ રહેવાની છે.
ભાવ, ભાષા અને ભાષણ તો બધે સરખા લાગે છે,
જુબાને જુબાને ભાષા ભરપૂર અલગ રહેવાની છે.
સજાવટ જમાવટ ભલેને ગમે તેટલી થાય,
બહાદૂરી ને દાદાગીરી શૂર અલગ રહેવાની છે.
થઈ થઈને શું થઈ જવાનું છે – શુ મોત આવશે,
ગાઢ નિંદર અણમોલ જરૂર અલગ રહેવાની છે.

google news png

આ પણ વાંચો:- Pahalgam terrorist attack: આતંકવાદી હુમલાના ભોગ બનેલા પ્રવાસીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત પરત લવાશે

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *