Porbandar-Muzaffarpur Exp Update: પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે
Porbandar-Muzaffarpur Exp Update: બ્લોકને કારણે, 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે

રાજકોટ, 24 એપ્રિલ: Porbandar-Muzaffarpur Exp Update: ઉત્તર પૂર્વ રેલ્વેના કુસ્મી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 25 એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા લખનૌ-બારાબંકી-ગોંડા-ગોરખપુર-પાનીહાવા-નરકટિયાગંજ-મુઝફ્ફરપુર ને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ-વારાણસી-ઓંડીહાર-છાપરા-મુઝફ્ફરપુર થઈને જશે.
રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગાહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપુધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર નહીં જાય.
વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.