હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ. 

કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી ડેઝીગ્નેટેડ કોવિડ – ૧૯ હોસ્પિટલ

સમર્પિત આરોગ્યકર્મીઓ સાથે બે વેન્ટીલેટર સાથેના આઇ.સી.યુ. અને સેન્ટ્રલી કનેકટેડ ઓકસીજનની સુવિધા સાથે કુલ ૪૩ બેડની કરાયેલ વ્યવસ્થા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ સુવિધા સાથે અમે ૨૪ કલાક તત્પર … Read More

મુખ્યમંત્રીશ્રીના “ટેસ્ટ ઇઝ બેસ્ટ”ના મંત્રને ચરિતાર્થ કરતું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

ફરજ પરના ૧૩૨ કર્મચારીઓએ કરાવ્યો કોરોના ટેસ્ટ, બે કર્મચારીઓ પોઝિટિવ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૧૬ સપ્ટેમ્બર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  “ટેસ્ટ ઇઝ બેસ્ટ” નું સૂત્ર આપીને કોરોનાથી ડર્યા વગર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે … Read More

કોરોના યોદ્ધા દિવ્યાબેન કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પૂર્વવત ફરજ પર જોડાયા

સિવિલના સ્ટાફ નર્સ દિવ્યાબેન બામણે ૧૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૬ સપ્ટેમ્બર: નવી સિવિલના ઘણાં કોરોનાયોદ્ધાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં, પરંતુ … Read More

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોંબ’,ક્લિક કરી જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૬ સપ્ટેમ્બર:અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોંબની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.અક્ષયે ટ્વીટ કરી ફિલ્મના રિલીઝ વિશે માહિતી આપી.હોરર કોમેડી ફિલ્મ લક્ષ્મી બોંબ નવ નવેમ્બરના … Read More

જામનગરની ત્રણ ઇન્સ્ટીટયુટ ને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો, બિલ રાજ્યસભામાં પાસ

લોકસભામાં ખરડો પસાર થયા બાદ રાજયસભામાં ખરડો પસાર કરાયો રાજમાતા ગુલાબકુંવરબા મહાવિદ્યાલય સહિત અન્ય ત્રણ ઇન્સ્ટીટયુટનો સમાવેશ દેશની એક માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ સંસ્થાને રાષ્ટ્રિય દરજ્જો મળતા આર્યુવેદક્ષેત્રે દશેમાં સંશોધન અને … Read More

अहमदाबाद मण्डल पर स्वच्छता पखवाडे की शुरूआत

 अहमदाबाद, 16 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर दिनांक 16 सितंबर से 30 सितंबर 2020 तक मनाए जा रहे स्वच्छता पखवाड़े की शुरूआत हुई। मण्डल रेल प्रबंधक श्री दीपक कुमार … Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય

રાજ્યમાં પ્રવર્તિ રહેલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21મી સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું હિતાવહરહેશે નહીં – શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહેવાલ: દિલીપ … Read More

ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. ૨૧મી સપ્ટેમ્બરથી મળશે: પ્રદિપસિંહ જાડેજા

પાંચ દિવસના આ ઐતિહાસિક સત્ર દરમિયાન જનહિતને લગતા ૨૪ જેટલા સરકારી વિધેયકો પસાર કરાશે કોરોના કાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ‘કોરોના વોરિયર્સ’ને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા સરકારી … Read More

કોરોનાના નિયંત્રણ માટે આયુષ પદ્ધતિ ગુજરાતમાં આશિર્વાદરૂપ નીવડી

રોગપ્રતિરોધક ઔષધ પુરા પાડવામાં અને કોરોના પોઝીટીવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત રાજય દેશભરમાં અગ્રેસર ૭,૧૧,૬૨,૨૭૭ થી વધુ અમૃતપેય-આયુર્વેદ ઉકાળાનું રાજ્યમાં વિના મૂલ્યે વિતરણ ૧.૪૦ કરોડથી પણ વધારે નાગરિકોએ લીધો લાભ … Read More