About film Samrat Prithviraj

About film Samrat Prithviraj: રિલીઝ પહેલા અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને આંચકો લાગ્યો! જાણો કેમ….

About film Samrat Prithviraj: અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઐતિહાસિક ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર કુવૈત અને ઓમાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

બોલિવુડ ડેસ્ક, 02 જૂનઃ About film Samrat Prithviraj: અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ આવતીકાલે એટલે કે 3 જૂને મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. પરંતુ રિલીઝ પહેલા જ અક્ષયની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ઝટકો લાગ્યો છે. અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઐતિહાસિક ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર કુવૈત અને ઓમાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રાજા પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા દર્શાવવામાં આવશે, જેમણે ભારતને મુહમ્મદથી બચાવવા માટે બહાદુરીપૂર્વક લડત આપી હતી.

એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા ગૌરવશાળી હિંદુ સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને સાહસ પર આધારિત ફિલ્મને કુવૈત અને ઓમાન જેવા કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. લાગે છે કે આ દેશોએ ફિલ્મની રિલીઝ પહેલા આ સ્ટેન્ડ લઈ લીધું છે. 

આ પણ વાંચોઃ The young lady will marry her own: ભારતનો પહેલો બનાવ, વડોદરા શહેરની યુવતી પોતાનો સાથે જ લગ્ન કરશે

સુત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું જીવન એ વાતનો પુરાવો છે કે ભારતીયો જે સાચું હતું તેના માટે ઉભા થયા અને આપણા દેશને નિર્દય આક્રમણકારોથી બચાવ્યો જેઓ ફક્ત આપણા લોકોને લૂંટવા અને મારવા માંગતા હતા. આ ફિલ્મ અત્યારે ખરેખર સમાચારમાં છે. તેમના જીવનચરિત્ર પર પ્રતિબંધ મૂકવાથી માત્ર એક જ પ્રશ્ન ઊભો થાય છે કે લોકો શા માટે ઈતિહાસ પર નજર નાખતા નથી અને ભારત અને હિંદુઓનું શું થયું તે સ્વીકારતા નથી.

તમને જણાવી દઈએ કે ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર સાથે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.માનુષી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં માનુષી સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Welcome to Hardik Patel in BJP: હાર્દિકે સી આર પાટીલના હાથે ખેસ પહેર્યો અને નીતિન પટેલે ટોપી પહેરાવી

Gujarati banner 01