Aishwarya did not appear on Kapil’s show: ઐશ્વર્યા અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં ના આવી, સલમાન ખાન છે કારણ?- વાંચો વિગત
Aishwarya did not appear on Kapil’s show: ‘ધ કપિલ શર્મા શો’ના અપકમિંગ એપિસોડમાં વિક્રમ તથા તૃષા જોવા મળશે. જોકે, ઐશ્વર્યા રાય આવી નહોતી.
મનોરંજન ડેસ્ક, 29 સપ્ટેમ્બરઃ Aishwarya did not appear on Kapil’s show: 30 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દેશભરમાં પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. સાઉથથી લઈ નોર્થ બેલ્ટમાં ફિલ્મને જોરશોરથી પ્રમોટ કરવામાં આવી રહી છે. હાલમાં જ ફિલ્મની સ્ટાર-કાસ્ટ ‘ધ કપિલ શર્મા શો’માં આવી હતી.
જોકે, આ શોમાં ઐશ્વર્યા રાય આવી નહોતી. ‘ધ કપિલ શર્મા શો’ના અપકમિંગ એપિસોડમાં વિક્રમ તથા તૃષા જોવા મળશે. જોકે, ઐશ્વર્યા રાય આવી નહોતી.
આ પણ વાંચોઃ Ban on PFI: PFI પર મોટી કાર્યવાહી, સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ લીધું એક્શન
ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય શોમાં ના આવતા અનેક અટકળો થવા લાગી. યુઝર્સે સો.મીડિયામાં કમેન્ટ કરી હતી કે શોનો પ્રોડ્યૂસર સલમાન ખાન હોવાથી ઐશ્વર્યા આવી નહીં. યુઝર્સે એમ પણ કહ્યું હતું કે ‘એ દિલ હૈ મુશ્કિલ’ના પ્રમોશન માટે શોમાં આવી હતી અને તે સમયે સલમાન ખાન શોનો પ્રોડ્યૂસર નહોતો. કેટલાંક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે ઐશ્વર્યા બીજી જગ્યાએ પ્રમોશનમાં બિઝી હોવાથી આવી નહીં.
માત્ર ઐશ્વર્યા જ નહીં, પરંતુ ફિલ્મના ડિરેક્ટર મણિ રત્નમ તથા મ્યૂઝિક ડિરેક્ટર એ આર રહમાન પણ શોમાં આવ્યા નહોતા.