Alia bhatt talks about suhagrat: કૉફી વિથ કરન સિઝન7 ની પહેલી ગેસ્ટ બની આલિયા ભટ્ટ, સુહાગરાત વિશે કહી આ વાત
Alia bhatt talks about suhagrat: કરન લગ્ન અંગે સવાલ કરે છે કે લગ્ન અંગેની સૌથી મોટી ગેરસમજણ કઈ છે? આલિયા તરત જ જવાબ આપે છે કે સુહાગરાત
બોલિવુડ ડેસ્ક, 07 જુલાઇઃAlia bhatt talks about suhagrat: કરન જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરન’ની સાતમી સિઝનનો પહેલો એપિસોડ સાત જુલાઈના રોજ સાંજે સાત વાગે સ્ટ્રીમ થશે. આ વખતે કરનનો શો ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે. સિઝનના પહેલાં ગેસ્ટ રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ છે. ઉલ્લેખનીય છે કે કરનની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં બંને લીડ રોલ પ્લે કરી રહ્યા છે. કરનના શોમાં આલિયા ભટ્ટ સુહાગરાત અંગે પણ વાત કરે છે.
કરને સો.મીડિયામાં એપિસોડનું ટીઝર શૅર કર્યું છે. વીડિયોમાં કરન સૌ પહેલાં રણવીર સિંહ તથા આલિયા ભટ્ટને ઇન્ટ્રોડ્યૂસ કરે છે. કરન કહે છે કે બંને ન્યૂલી મેરિડ છે, પરંતુ બંનએ એકબીજા સાથે લગ્ન કર્યા નથી. કરન બંનેને પર્સનલ સવાલો કરે છે.
કરન લગ્ન અંગે સવાલ કરે છે કે લગ્ન અંગેની સૌથી મોટી ગેરસમજણ કઈ છે? આલિયા તરત જ જવાબ આપે છે કે સુહાગરાત. આલિયા કહે છે કે એવું કંઈ જ હોતું નથી. તમે ઘણાં જ થાકી ગયા હોવ છો. આલિયાનો જવાબ સાંભળીને કરન અને રણવીર પેટ પકડીને હસી પડે છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ લગ્નના બે મહિના બાદ જ પ્રેગ્નન્ટ છે. આલિયા હાલમાં લંડનમાં હોલિવૂડ પ્રોજેક્ટનું શૂટિંગ કરે છે.
ઉલ્લેખનીય છે કે, રેપિડ ફાયર ઉપરાંત આ વખતે શોમાં ‘કૉફી બિંગો’ તથા ‘મેશ્ડ અપ’ એમ બે નવા સેગમેન્ટ ઉમેરવામાં આવ્યા છે.