Disha vakani throat cancer: દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણીને થયુ ગળાનું કેન્સર?
Disha vakani throat cancer: દિશાને આ બીમારી ક્યારથી છે તેની કોઈ ચોક્કસ પુષ્ટિ થઈ નથી
મનોરંજન ડેસ્ક, 12 ઓક્ટોબરઃ Disha vakani throat cancer: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીનું પાત્ર ભજવનારી દિશા વાકાણીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. ઘણાં રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિશાને ગળાનું કેન્સર થયું છે. તે હાલમાં ગળાના કેન્સરનો સામે લડી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ગળાનું કેન્સર ‘દયા ભાભી’ના પાત્રનાં અવાજને કારણે થયું છે. દિશા શોમાં અલગ અવાજ કાઢીને વાત કરતી હતી. દિશાને આ બીમારી ક્યારથી છે તેની કોઈ ચોક્કસ પુષ્ટિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણીએ વર્ષ 2019માં શોને અલવિદા કહી દીધું છે. તેનું કારણે તેણે મેટરનિટિ લીવ જણાવ્યું હતું. ફેન્સ ત્યારથી લઈને આજ સુધી શોમાં ફરીથી તેના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સ દ્વારા શોમાં પરત ફરવા દિશા વાકાણીનો ઘણીવાર સંપર્ક કર્યો પણ તેમણે ના પાડી દીધી હતી. દિશા શોની સૌથી પોપ્યુલર એકટ્રેસ હતી.
વર્ષ 2010માં દયાના રોલ માટે અજીબોગરીબ અવાજ વિશે વાત કરતા દિશાએ કહ્યુ હતું કે, દરેક વખત એક જ અવાજને જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ ભગવાનની કૃપા છે કે, તેમણે ક્યારેય મારા અવાજને નુકસાન નથી પહોંચાડ્યુ અને ના ગળાની કોઈ સમસ્યા ઉભી થઈ છે. આ અવાજની સાથે તે સતત 11-12 કલાક કામ કરે છે.