Finally Govinda Ends The Cold War

Finally Govinda Ends The Cold War: આખરે મામા-ભાણીયા વચ્ચેના મતભેદો દૂર થયા, આ રીતે ગોવિંદાએ ભાણીયાને માફ કર્યો

Finally Govinda Ends The Cold War: મામાને મનાવવા માટે કૃષ્ણા અભિષેકે ઘણીવાર જાહેરમાં માફી માગી છે

બોલિવુડ ડેસ્ક, 14 જૂનઃ Finally Govinda Ends The Cold War: આખરે તે દિવસ આવી ગયો કે જ્યારે ગોવિંદા તથા કૃષ્ણા અભિષેક વચ્ચેનું કોલ્ડ વૉર પૂરું થઈ ગયું છે. ચીચી મામા ઉર્ફે ગોવિંદાએ અંતે પોતાના ભાણીયા કૃષ્ણા અભિષેકને માફ કરી દીધો છે. તેમની વચ્ચે છ-છ વર્ષ સુધી અબોલા હતા. મામાને મનાવવા માટે કૃષ્ણા અભિષેકે ઘણીવાર જાહેરમાં માફી માગી છે. બંને વચ્ચે પેચઅપ કરાવવાની ક્રેડિટ હોસ્ટ મનીષ પોલને જાય છે.

મનીષ પોલના પોડકાસ્ટમાં થોડાં દિવસ પહેલાં કૃષ્ણા અભિષેકે રડતાં રડતાં ગોવિંદાની માફી માગી હતી. કૃષ્ણા બાદ હવે ગોવિંદા આ શોમાં આવ્યો હતો. તેણે ખુલ્લા મનથી ભાણીયાને માફ કરી દીધો છે. મનીષ પોલે સો.મીડિયામાં આ અંગેનો વીડિયો પણ શૅર કર્યો છે. આ વીડિયોમાં મનીષ પોલ એક્ટર ગોવિંદાને કહે છે કે કૃષ્ણાએ અહીંયા આવીને માફી માગી છે. જો તમે તેને કંઈક કહેવા માગો છો તો પ્લીઝ કહો. તે રિક્વેસ્ટ કરે છે.

View this post on Instagram

A post shared by Maniesh Paul (@manieshpaul)

ગોવિંદાએ કૃષ્ણા અભિષેકની માફી પર કહ્યું હતું, ‘કૃષ્ણા માટે, આરતી માટે..તમે લોકો મારી ફેવરિટ બહેનના બાળકો છો. મને મારી બહેને ઘણો જ પ્રેમ કર્યો હતો, પરંતુ તમને તે સુખ મળી શક્યું નહીં. આ વાતનું મને ઘણું જ દુઃખ છે, પરંતુ હું એવો નથી કે મારા કોઈ પણ વ્યવહારને કારણે તમે દુઃખી થાવ. તમે પણ એવા નથી. તમારા માટે હંમેશાં માફી છે. પ્લીઝ રિલેક્સ, તમારી સામે કોઈ વાંધો નથી. ભગવાન તમારું ભલું કરું, ઓલ ધ બેસ્ટ, મહેનત કરતાં રહો.’

આ પણ વાંચોઃ Internet Explorer to shut down: 27 વર્ષ બાદ બંધ થશે માઈક્રોસોફ્ટ Internet Explorer- વાંચો શું છે બંધ થવાનું કારણ?

ગોવિંદાએ માફી આપતાં જ કૃષ્ણા અભિષેકે આ વીડિયો પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘હું તમને ઘણો જ પ્રેમ કરું છે.’

કૃષ્ણાએ ગોવિંદાની માફી માગતા કહ્યું હતું, ‘ચીચીમામા, હું તમને ઘણો જ પ્રેમ કરું છું. તમને ઘણાં જ યાદ કરું છું. ક્યારેય ન્યૂઝ પેપર્સ તથા મીડિયામાં શું આવ્યું છે અને શું લખાયું છે, તેના પર ના જતાં. હું એક જ વાત કહેવા માગું છું કે હું તમને ઘણાં જ મિસ કરું છું. હું ઈચ્છું છે કે મારા બાળકો મારા મામા સાથે રમે.’ આટલું કહેતાં જ કૃષ્ણા અભિષેક રડી પડ્યો હતો.

શા માટે વિવાદ થયો હતો?
2016માં ગોવિંદા તથા કૃષ્ણા અભિષેકના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ગોવિંદાએ ‘જગ્ગા જાસૂસ’ ફિલ્મથી કમબેક કર્યું હતું. જોકે, તે આ ફિલ્મના પ્રમોશન માટે કૃષ્ણા અભિષેકના શોમાં ગયો નહોતો, પરંતુ કપિલના શોમાં ગયો હતો. ત્યારબાદ 2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યારબાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

આ પણ વાંચોઃ IPL TV-digital rights Auction: IPLના ટીવી-ડિજિટલ રાઈટ્સ રૂ. 44,075 કરોડમાં વેચાયા, જાણો પ્રતિમેચ બ્રોડકાસ્ટીંગ ફી

Gujarati banner 01