Ghanshyam nayak died

Ghanshyam nayak died: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ‘નટુકાકા’ ઉર્ફ ઘનશ્યામ નાયકનું નિધન!

Ghanshyam nayak died: ઘનશ્યામ નાયક છેલ્લાં એક વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતા

ટેલિવિઝન, 03 ઓક્ટોબરઃGhanshyam nayak died: ‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી.

હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેસાણાથી ઘનશ્યામ નાયકના સંબંધીઓ મુંબઈ જવા રવાના થયા છે.

આ પણ વાંચોઃ Cruise Rave party drugs case: હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટીને લઈને ચોંકાવનારા ખુલાસા, અંડરવેયર, પેન્ટની સિલાઇમાં સંતાળ્યું હતું ડ્રગ્સ

નોંધનીય છે કે, ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.

Whatsapp Join Banner Guj