Jennifer Mistry

Jennifer Mistry statement: રોશન ભાભી ઉર્ફ જેનિફર મિસ્ત્રીએ નટુકાકા અને શૈલેષ લોઢા વિશે કહી આ વાત, વાંચો…

Jennifer Mistry statement: મેકર્સે મને, મોનિકા ભદોરિયા અને નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકને ખૂબ હેરાન કર્યા હતા

મનોરંજન ડેસ્ક, 03 જૂનઃ Jennifer Mistry statement: ફેમિલી એન્ટરટેઈનર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોને અલવિદા કહી દીધું છે. સાથે જ અભિનેત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે.

તે જ સમયે, હવે જેનિફર જૂની ક્ષણોને યાદ કરીને ભાવુક થતી જોવા મળી રહી છે. જેનિફરે લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં અસિત મોદીની એક નવી વાત કહી છે, જેના કારણે તેને ખૂબ જ પરેશાન થવું પડ્યું છે.

નટુકાકા અને શૈલેષ લોઢા વિશે કહી આ વાત 

જેનિફરે કહ્યું કે મેકર્સે તેને, મોનિકા ભદોરિયા અને નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકને ખૂબ હેરાન કર્યા હતા. તેને કર્મનું કાર્ય ગણાવતા મિસ્ત્રીએ કહ્યું, ‘તે મારા ભાઈનો આત્મા છે, મોનિકાની માતાનો આત્મા છે, નટ્ટુ કાકાનો આત્મા છે. આ લોકો દ્વારા નટુ કાકાને ખૂબ હેરાન કરવામાં આવ્યા હતા.

જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે તેણે શૈલેષ લોઢાને શોમાં પાછા આવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. અભિનેત્રીએ ઉમેર્યું, ‘મેં તેને કહ્યું હતું કે તમે પાછા આવો, તમારી જગ્યા કોઈ નહીં લઈ શકે, પરંતુ તેણે મને કહ્યું કે જેની નહીં, હવે તે મારા સ્વાભિમાનનો પ્રશ્ન છે.’

જેનિફર મિસ્ત્રીએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં શેર કર્યું હતું કે નિર્માતા અસિત મોદીએ તેને નાગપુર જવા બાબતે અને  તેના ગંભીર રીતે બીમાર નાના ભાઈને જોવાની મંજૂરી આપી ન હતી જેનિફરે કહ્યું કે જ્યારે તેનો નાનો ભાઈ ગંભીર હાલતમાં હતો ત્યારે પણ તેને કામ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો… Central Government warning to doctors: મોંઘી દવાઓ લખતા ડોક્ટરો થઈ જાઓ સાવધાન, સરકારે આપી મોટી ચેતવણી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો