નેપોટિઝમ(Nepotism) મુદ્દે રણબીર, કરીના અને કરિશ્માની બહેને આપ્યું મોટુ નિવેદન- જાણો શું કહ્યું રિદ્ધિમા કપૂરે..!
બોલિવુડ ડેસ્ક, 20 મેઃ બોલિવુડમાં નેપોટિઝમ(Nepotism)નો મુદ્દો હમણાનો જીવત જ રહેવા લાગ્યો છે. દર વર્ષે અનેક સ્ટાર્સ કિડ બોલિવુડમાં ડેબ્યુ કરે છે. ગત વર્ષે સુશાંતના આપઘાત બાદ દેશભરમાં સ્ટાર સંતાનો સામે એક મોટા વર્ગે વિરોધ દર્શાવ્યો. ફિલ્મી કલાકારોના સમર્થન અને વિરોધમાં બે ભાગ પડી ગયા…સ્ટારકિડના કારણે ઈન્ડસ્ટ્રી બહારથી આવેલા અને સંઘર્ષ કરતા કલાકારને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કદર નથી મળતી. તેવામાં હાલ જ્યારે નેપોટિઝમનો મુદ્દો શાંત પડયો છે હવે ઋષિ કપૂરની પુત્રીએ સ્ટાર કિડ મુદ્દે નિવેદન આપી નેપોટિઝમ(Nepotism)ના મુદ્દાને ફરી હવા આપી છે.
રિદ્ધિમા કપૂરે હાલમાં જાણીતા મીડિયા હાઉસને ઈન્ટરવ્યૂ આપ્યો જેમાં નેપોટિઝમ મુદ્દે મોડે મોડે પ્રતિક્રિયા આપી… રિદ્ધિમા કપૂરના નિવેદને પાછી ચર્ચા જગાડી છે. રિદ્ધિમા કપૂરે તેના ભાઈ રણબીર અને કરીનાનો પક્ષ લીધો અને નેપોટિઝમ(Nepotism)પર ઉઠતા સવાલ પર નારાજગી દર્શાવી છે.
રિદ્ધિમાએ કહ્યું- ‘રણબીર અને કરીશમા-કરીના ભલે સ્ટારકિડ્સ રહ્યા હોય પરંતું આ ત્રણેય લોકોએ પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું. આ કલાકારોએ દિવસ-રાત જોયા વિના મહેનત કરી અને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં નામ હાંસલ કર્યું. રણબીર અને કરીશમા-કરીનાએ દર્શકોના દિલ જીત્યા છે. વ્યક્તિનું કામ જ તેને સફળ-નિષ્ફળ બનાવે છે, મોટા ભાગે એવું જોવા મળે છે કે જો કોઈ સ્ટાર કિડ્સ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવે તો તેને સ્ટારકિડ્સ(Nepotism) કહી ટ્રોલ કરવામાં આવે છે’
રિદ્ધિમાની વાત કરીએ તો, તે ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. રિદ્ધિમા કપૂર ભારતની જાણીતી જ્વેલરી ડિઝાઈનર છે, રિદ્ધિમાએ વર્ષ 2006માં પોતાના બાળપણના મિત્ર ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. રિદ્ધિમા કપૂરે ભલે ફિલ્મોમાં કારકિર્દી ન બનાવી હોય પરંતું તેની સુંદરતા અને ફિટનેસના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.
આ પણ વાંચો….