Priya Ahuja News: ફરી એકવાર ગુસ્સે થઈ ‘રીટા રિપોર્ટર’, સોનુના શો છોડવા પાછળ કર્યો ચોંકાવનારો ખુલાસો…
Priya Ahuja News: શોના નિર્માતાઓ અસિત મોદી, માલવ અને ટપ્પુ સેનાના પાત્રો વચ્ચેના બોન્ડિંગથી કમ્ફર્ટેબલ નહોતા: પ્રિયા આહુજા
મનોરંજન ડેસ્ક, 28 જુલાઈઃ Priya Ahuja News: ટીવીનો પ્રખ્યાત સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો દરેક ઉંમરના લોકોનો ફેવરિટ છે. એક તરફ ઘણા કલાકારો સતત શો છોડી રહ્યા છે. બીજી તરફ એક પછી એક શોના કલાકારો ગંભીર આરોપો લગાવી રહ્યા છે. દરમિયાન હવે શોમાં રીટા રિપોર્ટરનો રોલ નિભાવી રહેલી પ્રિયા આહુજાએ ફરી એકવાર અસિત મોદી પર વધુ ગંભીર આરોપો લગાવ્યા છે.
પ્રિયા આહુજા એ નિધિ ભાનુશાલી ના શો છોડવા અંગે કર્યો ખુલાસો
પ્રિયા આહુજાએ તાજેતરમાં મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. પ્રિયાએ કહ્યું કે જ્યારે શોમાં સોનુની ભૂમિકા ભજવનાર નિધિ ભાનુશાલી એ શો છોડી દીધો, ત્યારે તેના પતિ અને શોના નિર્દેશક માલવ રાજડાને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા.
પ્રિયાએ કહ્યું કે, શોના નિર્માતાઓ અસિત મોદી, માલવ અને ટપ્પુ સેનાના પાત્રો વચ્ચેના બોન્ડિંગથી કમ્ફર્ટેબલ નહોતા. તે નહોતા ઈચ્છતા કે માલવ તેમની સાથે આટલો જોડાયેલો રહે અને નિધિ ભાનુશાલી ના શોમાંથી બહાર થવાનું આ જ કારણ હતું.
એટલું જ નહીં, પ્રિયાએ ઘણી બધી બાબતો પર ખુલાસો કર્યો કે કેવી રીતે માલવ અકસ્માતને કારણે શૂટિંગ માટે ન જઈ શક્યો ત્યારે સેટ પરની સમસ્યાઓ માટે માલવ રાજડા ને જવાબદાર ગણવામાં આવ્યો હતો. તે સમયે માલવને દોઢ મહિના માટે બેડ રેસ્ટ કરવાનો કહ્યો હતો, પરંતુ તેમ છતાં તે પોતાની જવાબદારી સમજીને 20 દિવસમાં સેટ પર પાછો ફર્યો હતો. પરંતુ તેમ છતાં તેને ટોણો મારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેણે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ
આ પણ વાંચો… New Rule From August: ઓગસ્ટ મહીનાથી થવા જઈ રહ્યા છે આ પાંચ મોટા ફેરફારો, વાંચો સંપૂર્ણ અહેવાલ…