Pushpa 2 Release Date: દર્શકોની આતુરતાનો આવ્યો અંત, સુપર હિટ ફિલ્મ પુષ્પા-2ની રીલિઝ ડેટની થઇ જાહેરાત
Pushpa 2 Release Date: ‘પુષ્પા : ધ રાઇઝ’ જોયા બાદ ફેન્સ તેની સિક્વલ પુષ્પા-2:’પુષ્પા’નું બજેટ છે 500 કરોડ
મનોરંજન, 23 જુલાઇઃPushpa 2 Release Date: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા : ધ રાઇઝ’ જોયા બાદ ફેન્સ તેની સિક્વલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ ફિલ્મની કમાણીને લઈને તો આશા જ હતી, પરંતુ બોલિવૂડમાં પણ આ ફિલ્મે ધૂમ મચાવી હતી.
તો ‘પુષ્પા-2’ને વધુ ધમાકેદાર બનાવવા માટે મેકર્સ તનતોડ મહેનત કરી રહ્ય છે. થોડા દિવસ પહેલાં ખબર આવી હતી કે, ‘પુષ્પા-2’માં વિજય સેતુપતિ પણ લીડ રોલ નિભાવશે. તો આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે-સાથે ફહાદ ફાઝીલ અને રશ્મિકા મંદાના પહેલાથી જ છે. હાલમાં જ આ ફિલ્મના બજેટને લઈને મેકર્સે એક અપડેટ આપ્યું હતું.
એક રિપોર્ટ્સમાં ખબર પડી હતી કે, અલ્લુ અર્જુનની આ દમદાર સિક્વલનું બજેટ 350 કરોડ રૂપિયા થશે. પરંતુ હવે ફિલ્મના નિર્માતા વાય.રવિશંકરે કહ્યું છે કે, ‘પુષ્પા 2’નું બજેટ 350 કરોડથી પણ વધુ હશે.
શંકરે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાઉથ ઇન્ડિયાની બહાર પણ આ ફિલ્મ એટલી ચાલી કે જેના વિશે વિચાર્યું પણ ન હતું. આ ફિલ્મના પ્રમોશન પર વધારે ધ્યાન આપ્યું ન હોય અમને આશા ન હતી આ ફિલ્મ આટલી ચાલશે. ‘પુષ્પા-2’ માટે 500 કરોડ રૂપિયાની જરૂર પડશે.
આ પણ વાંચોઃ Domino’s Pizza may ban Swiggy and Zomato: ડોમિનોઝ પિઝા સ્વિગી અને ઝોમેટો પર લગાવી શકે છે પ્રતિબંધ
વધુમાં શંકરે જણાવ્યું હતું કે, નેપાળના એક ડિસ્ટ્રિબ્યુટર ‘પુષ્પા’ની પ્રિન્ટ માટે કોઈ પણ રકમ ચૂકવવા માટે તૈયાર હતા. અલ્લુ અર્જુનની સફળતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સ હવે આ ફિલ્મને 10 ભાષાઓ અને ઘણા પડોશી દેશોમાં રિલીઝ કરવાની યોજના છે.
આ રિપોર્ટમાં મેકર્સે એવો સંકેત પણ આપ્યો છે કે, ‘પુષ્પા 2’ના પ્રમોશન માટેનું બજેટ 5 ગણું વધી શકે છે અને પ્રમોશનનો ખર્ચ 50 કરોડ રૂપિયા સુધી થઈ શકે છે. આ વખતે તે દેશના દરેક ભાગમાં લગભગ બે મહિના સુધી ફિલ્મનું જોરશોરથી પ્રચાર કરવા ઈચ્છે છે.
રિલીઝ ડેટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મને ઓગસ્ટ 2023 સુધીમાં રિલીઝ કરી દેશે. પહેલાં આવેલા એક રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2022 સુધી આ ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન હતો. પરંતુ મેકર્સની વાતચીત પરથી લાગે છે કે, આ ફિલ્મને ધમાકેદાર અને હિટ બનાવવામાં કોઈ કસર છોડવા નથી માગતા.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 17 ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઈઝ’માં અલ્લુ અર્જુન ‘પુષ્પરાજ’ અને રશ્મિકા મંદન્ના ‘શ્રીવલ્લી’ના રોલમાં જોવા મળ્યા હતા. સુકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં આ બંને સિવાય ફહાદ ફાઝીલ, સુનીલ, સામંથા રૂથ પ્રભુ, પ્રકાશ રાજ, અજય ઘોષ સહિતના ઘણા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Har Ghar Triranga: અમદાવાદ જિલ્લામાં ૧૬ લાખથી વધુ ઘરના તિરંગો લહેરાશે- વાંચો વિગત