Raju srivastava passed away: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે દુનિયાને કહ્યુ અલવિદા, હોસ્પિટલમાં જ લીધા અંતિમ શ્વાસ
Raju srivastava passed away: જીમમાં એક્સરસાઈઝ કરતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો
મુંબઇ, 21 સપ્ટેમ્બરઃ Raju srivastava passed away: આજે સવારે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજૂ શ્રીવાસ્તવ એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે, જીમમાં એક્સરસાઈઝ કરતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. રાજૂ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ એક મહિનાથી નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ હતા. 10 ઓગસ્ટના રોજ રાજુને દિલ્હીની હોટલના જિમમાં હાર્ટ અટેક આવ્યો હતો અને ત્યારે તેને AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રાજુને હોસ્પિટલમાં એડમિટ થયે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ એક મહિનો થયો છે. આ એક મહિનામાં બેવાર રાજુની તબિયત ખરાબ થઈ હતી.
પરિવારે કહ્યું હતું કે સાત સપ્ટેમ્બરે રાત્રે 2 વાગ્યાથી ગુરુવાર આઠ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ સુધી આંખમાં મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ ડૉક્ટર્સે કહ્યું હતું કે તેને હોશ આવ્યો તેમ કહી શકાય નહીં.
આ પણ વાંચોઃ Fuel Tax: નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન, જાણો પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિશે શું કહ્યું?
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.