Shailesh lodha to quit TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક મહત્વના કલાકાર શો છોડશે- વાંચો વિગત
Shailesh lodha to quit TMKOC: શૈલેષ લોઢાને મનાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ શૈલેષ માનવા તૈયાર નથી. જો શૈલેષ લોઢા આ સિરિયલમાં પરત નહીં ફરે સિરિયલ માટે આ ત્રીજી શૉકિંગ એક્ઝિટ હશે
મનોરંજન ડેસ્ક, 17 મેઃ Shailesh lodha to quit TMKOC: અત્યાર સુધી ઘણાં કલાકારોએ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને અલવિદા કહી દીધું છે. હવે ચર્ચા છે કે નેહા મહેતા-ગુરુચરણ સિંહ બાદ શૈલેષ લોઢા આ શો છોડી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શૈલેષ લોઢા છેલ્લાં એક મહિનાથી સેટ પર આવ્યો નથી. તેણે આ શોમાં પરત ના ફરવાનો નિર્ણય લઈ લીધો છે. તે સિરિયલિ છોડવાના મૂડમાં છે.
મીડિયાના અહેવાલ પ્રમાણે, શૈલેષ લોઢાને આ સિરિયલને કારણે અન્ય તકો જતી કરવી પડે છે. ભૂતકાળમાં શૈલેષે સારી સારી ઑફર્સ જતી કરી હતી. જોકે, હવે તે સારી તકો ગુમાવવા માગતો નથી.
સૂત્રોએ દાવો કર્યો હતો કે શૈલેષ લોઢા મેકર્સ પર નારાજ પણ છે. તેને એ વાતનો ગુસ્સો છે કે મેકર્સ આ શો માટે તેની ડેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી.
નોંધનીય છે કે, શૈલેષ લોઢાને મનાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ શૈલેષ માનવા તૈયાર નથી. જો શૈલેષ લોઢા આ સિરિયલમાં પરત નહીં ફરે સિરિયલ માટે આ ત્રીજી શૉકિંગ એક્ઝિટ હશે. આ પહેલાં દિશા વાકાણી તથા ગુરુચરણ સિંહે શોને અલવિદા કહી દીધું છે.
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.
આ પણ વાંચોઃ LIC IPO Listing: ભારતના સૌથી મોટા IPO એલઆઈસીનું આજે શેરબજારમાં લિસ્ટીંગ થયું, ઘણા રોકાણકારો થયા નિરાશ