Snehlata pandey

Snehlata pandey: ચંકી પાંડેના પરિવારના આ ખાસ વ્યક્તિનું થયું નિધન, અનન્યા થઇ ભાવુક

Snehlata pandey: સ્નેહલતા પાંડેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ બોલીવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા તેમના નિવાસસ્થાન પહોંચ્યા

બોલિવુડ ડેસ્ક, 11 જુલાઇઃ Snehlata pandey: બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની માતા સ્નેહલતા પાંડેનું નિધન થયું છે. 10 જુલાઇ શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંકી પાંડેની માતાના અવસાનના સમાચારથી ફરી એકવાર બોલીવૂડ સ્ટાર્સ દુ:ખી છે.

ચંકી પાંડેની માતાનુ મોતનાં કયા કારણોસર થયુ તે હજી જાણવા મળ્યુ નથી. જો કે સ્નેહલતા પાંડેના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ બોલીવુડ સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા તેમના નિવાસસ્થાન પહોંચવા લાગ્યા. તમામ સેલીબ્રિટીઝ મુંબઇના બાંદ્રા સ્થિત સ્નેહલતા પાંડેયના ઘરે જોવા મળ્યા હતા.

ચંકી પાંડે પત્ની ભાવના અને પુત્રી રાયસા અને અનન્યા પાંડે સાથે તેમની માતાના ઘરે પહોંચી ગયા છે. પોતાની દાદીને ગુમાવ્યા પછી અન્નન્યા એકદમ ઈમોશનલ થઈ ગઈ છે. સામે આવેલી ફોટોમાં અનન્યા તેની દાદીની છેલ્લી વિદાય માટે સફેદ સૂટ પહેરીને આવી હતી. આ દરમિયાન તે રડતી જોવા મળી હતી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Gupt navratri: આજથી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ, આ બાબતનું રાખો ધ્યાન