Vikrant Massey Apologizes: 12th Failના સ્ટાર વિક્રાંત મેસ્સીએ કરેલી ભગવાન રામ-સીતા વિવાદિત કોમેન્ટ વાયરલ, એક્ટરે માંગી માફી- વાંચો શું છે મામલો?
Vikrant Massey Apologizes: અભિનેતાએ ભગવાન રામ અને દેવી સીતાના કાર્ટૂનવાળા પોતાના જૂના ટ્વીટ માટે માફી માંગી છે.
બોલિવુડ ડેસ્ક, 21 ફેબ્રુઆરીઃ Vikrant Massey Apologizes: વિક્રાંત મેસ્સી અત્યારે ચર્ચામાં છે અને તેઓ 12th Fail ફિલ્મને મળેલી મોટી સફળતા બાદથી જ સતત એક બાદ એક ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. ક્યારેક તે પોતાના શરૂઆતી સંઘર્ષ વિશે જણાવે છે તો ક્યારેક જૂની ભૂલનો પણ ઉલ્લેખ કરે છે. તાજેતરમાં જ અભિનેતાએ ભગવાન રામ અને દેવી સીતાના કાર્ટૂનવાળા પોતાના જૂના ટ્વીટ માટે માફી માંગી છે.
વિક્રાંત મેસ્સીએ એપ્રિલ 2018માં ટ્વીટ શેર કરી હતી જેમાં એક કાર્ટૂન દર્શાવવામાં આવ્યુ હતુ. આ કાર્ટૂનમાં સીતાને રામ ભક્તો પર કમેન્ટ કરતા બતાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ તાજેતરમાં જ ફરીથી સામે આવી અને તેને શેર કરવા માટે વિક્રાંતને ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો. દરમિયાન તેમણે જેટલી પણ 12th Fail દ્વારા લોકો પાસેથી પ્રશંસા મેળવી હતી હવે તે તેમના વિરોધમાં બદલાઈ ગઈ છે. સતત સોશિયલ મીડિયા પર વિરોધ બાદ વિક્રાંતે પોસ્ટ હટાવી દીધી અને હિંદુ સમુદાય પાસે માફી માંગી છે.
આ પણ વાંચોઃ SP-Congress Alliance: યુપીમાં થશે કોંગ્રેસ-સપાનું ગઠબંધન, ભાજપને 80 બેઠકો પર ભારે પડશે આ માસ્ટર સ્ટ્રોક
અભિનેતાએ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં લખ્યુ, 2018માં મારી એક ટ્વીટ દ્વારા હુ અમુક શબ્દ કહેવા માંગુ છુ. હિંદુ સમુદાયને ઠેસ પહોંચાડવી, બદનામ કરવા કે અપમાન કરવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો પરંતુ જ્યારે હુ મજાકમાં કરેલી એક ટ્વીટ વિશે વિચારુ છુ. મને મારી ભૂલનો પણ અહેસાસ થાય છે. આ વાત અખબારમાં છપાયેલા કાર્ટૂનને સામેલ કર્યા વિના પણ કહી શકાતી હતી.
In context to one of my Tweets way back in 2018, I’d like to say a few words:
— Vikrant Massey (@VikrantMassey) February 20, 2024
It was never my intention to hurt, malign or disrespect the Hindu community.
But as I reflect in hindsight about a Tweet made in jest, I also release the distasteful nature of it. The same could…
વિક્રાંતે 20 ફેબ્રુઆરીએ નવા ટ્વીટમાં કહ્યુ, ‘હું અત્યંત વિનમ્રતાની સાથે તે તમામ લોકોની માફી માંગવા ઈચ્છુ છુ જેમને ઠેસ પહોંચી છે, તમે બધા જાણો છો કો હુ તમામ આસ્થાઓ, વિશ્વાસો અને ધર્મોનું યથાસંભવ સર્વોચ્ચ સન્માન કરુ છુ. આપણે તમામ સમયની સાથે મોટા થઈએ છીએ અને પોતાની ભૂલ પર વિચાર કરીએ છીએ’.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં વિક્રાંતે કથુઆ અને ઉન્નાવ રેપ કેસના સંબંધમાં ભગવાન રામ-સીતા રાજકીય કાર્ટૂન શેર કર્યુ હતુ. જે તે સમયે ચર્ચામાં રહ્યુ હતુ. કાર્ટૂનમાં માતા સીતા હાથમાં છાપુ પકડીને ભગવાન રામ વિશે જણાવતી નજર આવી. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ, મને ખૂબ ખુશી છે કે મારુ અપહરણ રાવણે કર્યુ હતુ, તમારા ભક્તોએ નહીં.
આ પોસ્ટ સાથે વિક્રાંતે કેપ્શનમાં લખ્યુ, અડધા રાંધેલા બટાકા અને અડધા રાંધેલા રાષ્ટ્રવાદી માત્ર પેટમાં દુખાવો પેદા કરશે. અભિનેતાની આ જૂની પોસ્ટ વાયરલ થતા જ લોકો રોષે ભરાયા અને લોકોએ ધર્મની મજાક ઉડાવવા પર અભિનેતાને ખૂબ ટ્રોલ કરીને તેમના વિરુદ્ધ બોલવાનું પણ શરૂ કરી દીધુ છે.
તાજેતરમાં જ વિક્રાંત ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમનો ભાઈ 17 વર્ષની ઉંમરે મુસ્લિમ બની ગયો હતો. તેમણે કહ્યુ કે તેમની માતા શિખ છે અને તેમના પિતા ખ્રિસ્તી છે. નાની ઉંમરેથી જ મે ધર્મ અને આધ્યાત્મિકતા સાથે સંબંધિત ઘણા તર્ક જોયા છે. આ જોયા બાદ હુ પોતાની શોધમાં લાગી ગયો અને વિચારવા લાગ્યો કે હકીકતમાં ધર્મ શું છે. આ માનવ નિર્મિત છે.