YRKKH

YRKKH replace this actor: સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આ એક્ટર્સને કાઢી મૂક્યા, સેટ પર ગેરવર્તન કરવાનો આરોપ

YRKKH replace this actor: સીરિયલના મુખ્ય કલાકારો શહેજાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખેને કાઢી મૂકવામાં આવ્યા છે.

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 20 માર્ચઃ YRKKH replace this actor: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની નવી સીઝન શરૂઆતમાં વધારે કમાલ કરી શકી ન હતી. આ પાત્ર કે નવી સ્ટોરી દર્શકોને આકર્ષવામાં સફળ રહી ન હતી. આથી ટીઆરપી ખરાબ રીતે ઓછી થઈ હતી, પરંતુ પછી ધીમે ધીમે દર્શકો નવા પાત્રો સાથે એટલા જોડાઈ ગયા કે શો ફરી ટોપ 5માં આવી ગયો. હવે આ સીરિયલને લઈને એક એવા સમાચાર આવ્યા છે જે દર્શકોને હેરાન કરી શકે છે. સીરિયલના મુખ્ય કલાકારો શહેજાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખેને કાઢી મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ New Captain of Delhi Capitals: દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, નવા કેપ્ટનની પસંદગી- જાણો સંપૂર્ણ વિગત

રાજન શાહીના શોના શૂટિંગ દરમિયાન બતાવવામાં આવેલા અન પ્રોફેશનલ બેહિવેયરને કારણે મેકર્સે સીરિયલની લીડ સ્ટાર કાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. અરમાન પૌદ્દારના રૂપમાં દરેક ઘરમાં ફેમસ થયેલા શહેજાદા ધામીને અચાનક હટાવી દેવાની ઘટના તેના ફેન્સ માટે ખૂબ જ શોકિંગ છે. તમને જણાવી દઈએ કે શહેજાદા ધામીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દેખીતી રીતે જ તેના વિશે કંઈક કહેવામાં આવશે પરંતુ તે શોમાં પોતાનું 100% આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

રિપોર્ટ મુજબ શહેજાદા ધામી સેટ પર નિયમોનું પાલન કરવાની ના પાડી રહ્યો છે અને સતત નખરા કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ક્રૂ સાથે ગેરવર્તન કરતો હતો અને આને લઈને વોર્નિંગ આપવા છતાં તેનું વલણ ચાલુ હતું. જ્યાં સુધી રુહીની ભૂમિકા નિભાવી રહેલી પ્રતિક્ષા હોનમુખેને હટાવવાની વાત છે, તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પાત્ર માટે યોગ્ય નથી, તેથી મેકર્સે તેને સીરિયલમાંથી દૂર કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો