TaTa groupએ પોતાના સ્ટાફના પરિવાર માટે લીધો મોટો નિર્ણયઃ કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થતા પરિવાર સુધી પહોંચાડશે આ સહાયતા- વાંચો વિગત
બિઝનેસ ડેસ્ક, 22 મેઃ દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા કંપની(TaTa group)ના મહત્વપૂર્ણ એકમ એવા ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના કર્મચારીઓમાંથી જે કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મરી જશે તે વ્યક્તિના પરિવારને બેસિક સૅલરીના 50 ટકા રકમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી છે કે આ પૈસા તેમના પરિવારજનોને ત્યાં સુધી મળશે જ્યાં સુધી દિવંગત કર્મચારીનો રિટાયર્ડ થવાનો સમય ન આવ્યો હોય.
ઉલ્લેખનીય છે કે ટાટા કંપની(TaTa group)એ ભારતની સૌથી ભરોસામંદ કંપનીઓમાંથી એક છે. આ સાથે જ ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના ૯૦ ટકા કર્મચારીઓનું વેક્સિનેશન થઈ ગયું છે.
આ પણ વાંચો……