9 killed wall collapse in lucknow: લખનઉમાં દીવાલ ધરાશાયી થતાં 9 લોકોનાં મોત નીપજ્યાં- વાંચો વિગત
9 killed wall collapse in lucknow: 9 લોકોના મોત નીપજ્યા અને 2 લોકોની હાલત હજી ગંભીર છે
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બરઃ9 killed wall collapse in lucknow: દિલકુશા કોલોનીમાં નિર્માણાધીન દીવાલ ધરાશાયી થતાં 9 લોકોનાં મોત થયાં છે. બે લોકોની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમ સૂર્યપાલ ગંગવારે 9 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે દિલકુશામાં નિર્માણાધીન બાઉન્ડરી વોલ પાસે લોકો સૂતા હતા.
રાત્રે 3.30 વાગ્યે દીવાલ પડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોડી રાત્રે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ બાળક 18 વર્ષથી નાનાં અને કેટલાંક સ્ત્રી- પુરુષોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ SBI Interest Rate Hike: SBI પાસેથી લોન લીધી હોય તો જાણી લો આ મહત્વના સમાચાર, ચૂકવવા પડશે વધારે પૈસા