Accident

Bihar Accident: બિહારમાં કાર-ટ્રેક્ટર વચ્ચે ટક્કર, આ અકસ્માતમાં 3 બાળક સહિત 7નાં મોત નિપજ્યા- વાંચો વિગત

Bihar Accident: જાનૈયાઓથી ભરેલી એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો

whatsapp banner

નવી દિલ્હી, 18 માર્ચઃ Bihar Accident: બિહારના ખગડિયામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયાના અહેવાલથી ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર જાનૈયાઓથી ભરેલી એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 3 બાળકો સહિત કુલ 7 લોકો મૃત્યુ પામી ગયા હતા. 

આ પણ વાંચોઃ Weather Update: ગરમીની વચ્ચે વાદળછાયુ વાતાવરણ, રેડ એલર્ટની સાથે રેન એલર્ટ- વાંચો વિગત

માહિતી મુજબ કારમાં સવાર જાનૈયા એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ પાછા આવી રહ્યા હતા અને આ દરમિયાન નેશનલ હાઈવે નંબર 31 પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અન્ય 4 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો