Surendranagar Accident

Surendranagar Accident: સુરેન્દ્રનગર નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 3 લોકો મૃત્યુ પામ્યા- વાંચો વિગત

Surendranagar Accident: સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા-માલવણ તરફ જતાં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા

whatsapp banner

સુરેન્દ્રનગર, 18 માર્ચઃ Surendranagar Accident: સુરેન્દ્રનગર નજીક ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા-માલવણ તરફ જતાં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. પોલીસે આ મામલે કેસ નોંધ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Bihar Accident: બિહારમાં કાર-ટ્રેક્ટર વચ્ચે ટક્કર, આ અકસ્માતમાં 3 બાળક સહિત 7નાં મોત નિપજ્યા- વાંચો વિગત

મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આ ગોઝારી દુર્ઘટના ત્યારે થઇ જ્યારે એક ટ્રકની પાછળ કાર ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બે યુવાનો તો ઓન ધ સ્પોટ જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસના જણાવ્યાનુસાર મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા. 

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો