Surendranagar Accident: સુરેન્દ્રનગર નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 3 લોકો મૃત્યુ પામ્યા- વાંચો વિગત
Surendranagar Accident: સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા-માલવણ તરફ જતાં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા
સુરેન્દ્રનગર, 18 માર્ચઃ Surendranagar Accident: સુરેન્દ્રનગર નજીક ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા-માલવણ તરફ જતાં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા. પોલીસે આ મામલે કેસ નોંધ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Bihar Accident: બિહારમાં કાર-ટ્રેક્ટર વચ્ચે ટક્કર, આ અકસ્માતમાં 3 બાળક સહિત 7નાં મોત નિપજ્યા- વાંચો વિગત
મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર આ ગોઝારી દુર્ઘટના ત્યારે થઇ જ્યારે એક ટ્રકની પાછળ કાર ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બે યુવાનો તો ઓન ધ સ્પોટ જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસના જણાવ્યાનુસાર મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા.