Geeta Rabari Ram Bhakti

Geeta Rabari Ram Bhakti: રામ ભક્તિમાં મગ્ન થઈ ગીતકાર ગીતાબેન રબારી, ગાયું આ અદ્ભુત ભજન

Geeta Rabari Ram Bhakti: ભગવાન શ્રી રામના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ખૂબ જ ભાવવિભોર કરનારું છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ, 08 જાન્યુઆરીઃ Geeta Rabari Ram Bhakti: ભારત સહિત સમગ્ર વિશ્વ હાલમાં રામની ભક્તિમાં તલ્લીન છે. વાસ્તવમાં 22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. આ પહેલા ણા ગીતકારો ભગવાન શ્રી રામ માટે નવા ભજનોની રચના કરી રહ્યા છે. દરમિયાન, ગુજરાતના કચ્છના પ્રખ્યાત ગીતાબેન રબારીએ પણ રામલલા વિશે ભજન ગાયું છે. આ ભજન એટલું મધુર છે કે ખુદ વડાપ્રધાન પણ તેનાથી મંત્રમુગ્ધ થઈ ગયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલું ભક્તિ ભજન “શ્રી રામ ઘર આયે” શેર કર્યું અને લખ્યું, “અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામ લલાના આગમનની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો તેમના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ખૂબ જ ભાવવિભોર કરનારું છે.

આ પણ વાંચો…. Hariprabodham yuva mahotsav: જેટલી ઓક્સીજનની જરૂર છે તેનાથી વધુ જરૂર સંત સમાગમની છે: ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો