gyanvapi masjid

Gyanvapi Mosque case: જ્ઞાનવાપી કેસમાં કોર્ટનો મોટો નિર્ણય, વાંચો શું આપ્યો ચુકાદો…

Gyanvapi Mosque case: વિવાદિત ભાગ સિવાય સમગ્ર કેમ્પસના ASI સર્વેને મંજૂરી આપવામાં આવી

નવી દિલ્હી, 21 જુલાઈઃ Gyanvapi Mosque case: વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સર્વેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ASIના સર્વેને મંજૂરી આપી છે, વિવાદિત ભાગ સિવાય સમગ્ર કેમ્પસના ASI સર્વેને મંજૂરી આપવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે કોર્ટે ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે.

સર્વે રિપોર્ટ 4 ઓગસ્ટે ન્યાયાધીશને મળશે

વારાણસી જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલને નકારી કાઢતાં કોર્ટે ASIને જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. સાથે કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ASI સર્વે દરમિયાન પરિસરમાં નમાઝ પઢવામાં આવશે. સર્વેની આ કામગીરી 3-6 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. જોકે કોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પક્ષે કહ્યું છે કે તે કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારશે. ASI આ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટે જિલ્લા ન્યાયાધીશને આપશે.

સર્વેનું કેટલું છે મહત્વ

સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં મળેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન-ડેટિંગને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશો પર રોક લગાવી દીધી હતી. આ બાબતે એક પક્ષ કહે છે કે તે શિવલિંગ છે અને બીજો પક્ષ કહે છે કે તે ફુવારો છે. હવે આ કોમ્પ્લેક્સના સર્વેથી ખબર પડશે કે મસ્જિદ કેટલી જૂની છે અને હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવામાં કેટલી સત્યતા છે.

અગાઉ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ 6-7 મેના રોજ જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કર્યો હતો. આ સર્વેના અહેવાલ અનુસાર, એવું કહેવાય છે કે પરિસરની દિવાલો પર દેવી-દેવતાઓની કલાકૃતિઓ, કમળની કેટલીક કલાકૃતિઓ અને શેષનાગ જેવો આકાર જોવા મળ્યો હતો. જો કે, આ અહેવાલમાં ભોંયરું વિશે કંઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

શું છે વિવાદ

જ્ઞાનવાપી વિવાદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે તેની નીચે આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટ ઊંચું જ્યોતિર્લિંગ છે અને ભગવાન વિશ્વેશ્વરની નિયમિત પૂજા માટે વ્યવસ્થા થવી જોઈએ. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને લઈને ચાલી રહેલો વિવાદ એ છે કે હિંદુ પક્ષે સમગ્ર જ્ઞાનવાપી સંકુલ હિંદુઓને સોંપવામાં આવે અને જ્ઞાનવાપીમાં મુસ્લિમોનો પ્રવેશ બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સાથે હિન્દુ પક્ષનું કહેવું છે કે મસ્જિદના ગુંબજને તોડી પાડવાનો આદેશ આપવામાં આવે.

આ પણ વાંચો… Rahul Gandhi Defamation Case: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટ તરફથી ન મળી રાહત, જાણો શું કહ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો