હવે રામદેવ બાબાએ IMA પર લગાવ્યો આ નવો આરોપ, વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 29 મેઃIMA: યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા કેટલાક દિવસોથી તેમનાં નિવેદનોને લીધે વિવાદમાં છે. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય હજી પૂરો થયો નથી. બાબા રામદેવે IMA પર નવો આરોપ લગાવતાં કહ્યું છે કે તેના પદાધિકારીઓના તાર ધર્મપરિવર્તન કરાવનારા લોકો સાથે જોડાયેલા છે.

IMA

એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં રામદેવે કહ્યું હતું કે “ડૉક્ટરો મને દેશદ્રોહી કહી રહ્યા છે. જો હું દેશદ્રોહી છું તો પછી જેમના તાર ધર્મપરિવર્તન સાથે જોડાયેલા છે, શું તેઓ દેશભક્ત છે? આવા કન્વર્ઝન, અંધવિશ્વાસ પર ભરોસો કરનારા લોકો જ IMAના અધ્યક્ષ બની બેઠા છે.”

IMA

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે કુંભને સુપર સ્પ્રેડર ગણાવનારા લોકોને હિન્દુવિરોધી અને ભારતવિરોધી કહ્યા છે. રામદેવે દાવો કર્યો છે કે અખાડામાં માત્ર ૧,૦૦૦ જેટલા સાધુઓ હતા અને કુંભના ૯૯% ટકા તંબુ ખાલી હતા. રામદેવે એમ પણ કહ્યું હતું કે IMAમાં અમારી સામે ઝંડો ઉઠાવનારા લોકો પણ ઘેરબેસીને કપાલભાતિ કરે છે.

આ પણ વાંચો….

કેન્દ્ર સરકારની મોટી જાહેરાતઃ ટૂંક સમયમાં દેશને મળશે કોરોનાની વધુ 4 વેક્સિન(corona vaccine), વાંચો સંપૂર્ણ વિગત