Kedarnath

Kedar Dham Kapaat Open: શિવભક્તો માં ખુશીની લહેર! આ તારીખે ખુલશે કેદારધામ ના કપાટ…

Kedar Dham Kapaat Open: આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ મંદિરના દ્વાર ખુલશે, એટલે કે મંદિરના દ્વાર 25 એપ્રિલે સવારે 6.20 કલાકે ખુલશે

નવી દિલ્હી, 07 એપ્રિલ: Kedar Dham Kapaat Open: ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ મંદિરના દ્વાર ખુલશે. એટલે કે મંદિરના દ્વાર 25 એપ્રિલે સવારે 6.20 કલાકે ખુલશે.

કેદારનાથ મંદિરના દરવાજા ખુલતાની સાથે જ બાબા દરબારમાં ભક્તોની હાજરી શરૂ થઈ જશે. કેદારનાથ મંદિરના દરવાજા ખોલતા પહેલા કરવામાં આવતી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ ચાર દિવસ અગાઉ એટલે કે 21 એપ્રિલથી શરૂ થશે.

એવું કહેવામાં આવે છે કે 21 એપ્રિલે, ડોલી શિયાળાના સિંહાસન ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી કેદારનાથ માટે રવાના થશે.

આ પણ વાંચો: Twitter logo news update: ચાર દિવસમાં જ ટ્વિટર પરથી ગાયબ થયો ડૉગનો લોગો, અહીં જુઓ અપડેટ ફોટો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો