lekhashree samantsinghar: ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ લેખાશ્રી સામંતસિંઘરે પક્ષમાંથી રાજીનામું આપ્યુ- વાંચો વિગત
lekhashree samantsinghar: ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લેખાશ્રી બીજુ જનતા દળ (બીજેડી) માં જોડાયા
નવી દિલ્હી, 07 એપ્રિલઃ lekhashree samantsinghar: લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ અને કાર્યકરોની પક્ષપલટો કરવાની ઘટનાઓ પણ વધતી જઇ રહી છે. હવે ભાજપને એક જોરદાર ઝટકો લાગ્યો છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલાં જ ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ અને કદાવર મહિલા નેતા લેખાશ્રી સામંતસિંઘરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો:- Festive Season: સનાતની + ધાર્મિક તહેવારોની મોસમ; પ્રસ્તુત છે નિલેશ ધોળકિયા દ્વારા ભેગી કરેલી માહિતી
Lekhashree Samantsinghar bids adieu to BJP #OdishaElections2024 pic.twitter.com/mybeICyDMV
— Debabrata (@DebabrataTOI) April 7, 2024
લેખાશ્રીએ કહ્યું કે તેઓ બીજુ જનતા દળ (બીજેડી) માં જોડાઈ રહ્યા છે. લેખાશ્રી ભૃગુ બક્સીપાત્રા બાદ ભાજપના એવા બીજા મોટા છે જેમણે ચૂંટણીથી થોડાક જ અઠવાડિયા પહેલા પક્ષ છોડી દીધો છે અને બીજેડીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો