રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા, હાલ સારવાર હેઠળ
નવી દિલ્હી, 26 માર્ચઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું અને હાલ તેઓ ડૉક્ટર્સના મોનિટરિંગ અંતર્ગત છે. આર્મી હોસ્પિટલે રાષ્ટ્રપતિની તબિયત સ્થિર હોવાની માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ આર્મી હોસ્પિટલમાં ડોક્ટર્સની નજર હેઠળ છે, તેમની તબિયત સુધારા પર જણાવવામાં આવી રહી છે.હોસ્પિટલે હેલ્થ બુલેટીન જાહેર કરીને જાણકારી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદના પુત્ર સાથે ફોન પર વાત કરી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. મોદીએ પણ રાષ્ટ્રપતિની જલ્દી તબિયત સુધરે તેવી શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી આજે બે દિવસીય વિદેશ પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 3 માર્ચે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમણે વેક્સિન લગાવી હતી.ત્યાર બાદ તેમણે દેશાં સફળતાપૂર્વક વેક્સિનેશનના અભિયાન માચે ડોક્ટર્સ, નર્સ અને હેલ્થ વર્કર્સને ઘન્યવાદ અને શુભેચ્છા પાઠવી હતી. અને લોકોને વેક્સિન લગાવવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો…