sanjay singh 1

Sanjay Singh Latest Update: આપ નેતા સંજય સિંહની ન્યાયિક કસ્ટડી લંબાવાઈ, જાણો વિગતે…

Sanjay Singh Latest Update: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો

નવી દિલ્હી, 13 ઓક્ટોબરઃ Sanjay Singh Latest Update: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલામાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફરી એકવાર તેની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. ત્રણ દિવસની કસ્ટડી પૂર્ણ થયા બાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટે આપ સાંસદને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, સંજય સિંહના વકીલે બીજી અરજી દાખલ કરી હતી, જેમાં સુગરના દર્દી હોવાનું કારણ આપીને દવાઓની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ માટે સંમતિ આપી અને સંજય સિંહને દવા આપવા કહ્યું.

હાઈકોર્ટે EDને સમન્સ મોકલ્યા

જણાવી દઈએ કે, સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સંજય સિંહના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે EDએ સંજય સિંહની ધરપકડ પહેલા તેમને સમન્સ પણ જારી કર્યું ન હતું. આના પર દિલ્હી હાઈકોર્ટે EDને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. હાઈકોર્ટ હવે 17 ઓક્ટોબરે સંજય સિંહની અરજી પર સુનાવણી કરશે.

આ પણ વાંચો… Groundnut Oil Prices Fall: ગૃહિણીઓ માટે ખુશખબર! સિંગતેલના ભાવમાં થયો આટલા રુપિયાનો ઘટાડો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો